Welcome to Vaishnav vanik samaj, Anand
આત્મીય જ્ઞાતિ પરિવાર સ્વજનો
વૈષ્ણવ વણિક સમાજ, આણંદનો 1976 માં આદ્ય સ્થાપકોની દીર્ઘ દ્રષ્ટિથી ઉદભવ થયો.
સંસ્થાની ગતિશીલતા તેના સભ્યોને આધીન છે. સંસ્થા એક નાવ છે અને સદસ્યો એ યાત્રી છે. નાવ ચલાવવા સુકાની સક્ષમ અને કાર્યરત રહે તે ખુબ જરૂરી છે. સમાજના ત્રણ અક્ષરોમાં
'સં' = સરળ સંસ્થા , 'મા' = મારી સંસ્થા, 'જ' = જવાબદારી - ત્રિસુત્રી સંસ્થા છે.
સમાજ શબ્દનો ભાષાકીય અર્થ સમ+આજ = સમાજ છે. સમવ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ જેમાં સર્વ સમાન, જેમાં ઊંચ - નીંચ, ગરીબ - તવંગર, શેઠ -શ્રમિક, શિક્ષિત - અશિક્ષિત જેવા ભેદભાવને અવકાશ નથી. મનુષ્ય સામાજિક પ્રાણી છે કે જે એક વ્યક્તિ તરીકે સમાજમાં રહીને પોતાનો વિકાસ સાધી શકે છે. સમાજ એટલે સહયોગ, સહાનુભુતિ અને સહજીવન
સમાજ મારો ને હું સમાજનો, એવી ભાવના અને સમર્પણ
પ્રગતિશીલ રહેશે સમગ્ર સમાજ તોજ આપણો સમાજ, બની રહેશે "વૈષ્ણવ વણિક સમાજ".